Mahabharatnun Chintan

Gurjar Prakashan
4.7
76 રિવ્યૂ
ઇ-પુસ્તક
394
પેજ
પાત્ર
રેટિંગ અને રિવ્યૂ ચકાસેલા નથી વધુ જાણો

આ ઇ-પુસ્તક વિશે

આ પુસ્તક ‘મહાભારત’નો ભાષાનુવાદ નથી તેમ જ ભાવાનુવાદ પણ નથી. આ તો ‘મહાભારત’ની મૂળ કથાના આધારે રજૂ થયેલું ચિંતન છે. ‘મહાભારત’ મહાગ્રંથ છે, કલેવરની દૃષ્ટિએ, વિષયવસ્તુની દૃષ્ટિએ અને જ્ઞાન-વિજ્ઞાનની પણ દૃષ્ટિએ. ‘મહાભારત’ને જે દૃષ્ટિએ જુઓ, પ્રત્યેક દૃષ્ટિએ તેમાં મહાનતા જ મહાનતા દેખાશે. વિચારોથી દૃષ્ટિકોણ બનતો હોય છે. જે વિચારો પ્રજાને, રાષ્ટ્રને અને રાજકર્તાઓને મહાન બનાવે તે દૃષ્ટિકોણને ઉત્તમ સમજવો જોઈએ. જે દૃષ્ટિકોણ કલ્પનાપૂર્ણ, અવાસ્તવિક હશે તે ગમે તેટલો રૂપાળો હશે તોપણ તેનાથી પ્રજા કે રાષ્ટ્ર કદી મહાન થઈ શકશે નહિ. ઋષિયુગ પછી ભારતને આવા કાલ્પનિક રૂપાળા દૃષ્ટિકોણનો રોગ લાગુ પડ્યો છે, જેણે પ્રજા અને રાષ્ટ્રને પારાવાર નુકસાન કર્યું છે, કરી રહ્યા છે. ‘મહાભારત’ સ્પષ્ટ છે. તે ગોળગોળ નથી ફેરવતું. જીવન પ્રશ્નોથી ભરેલું છે. તેને છોડીને ભાગવાનું નથી. પ્રશ્નો ઉકેલવાના છે. પ્રશ્નો આપણે પોતે ઊભા કરીએ છીએ, પરિસ્થિતિ ઊભા કરે છે, લોકો ઊભા કરે છે—પણ પ્રશ્નો ઊભા થાય છે ખરા. હવે તેનાથી ભાગીને શાંતિ મેળવવી છે કે પછી તેને ઉકેલીને શાંતિ મેળવવી છે? પહેલો માર્ગ કાયરતાનો અને નિષ્ફળ છે. પ્રશ્નોથી ભાગીને શાંતિ મેળવી શકાય જ નહિ, ઉકેલીને જ શાંતિ મેળવી શકાય. પ્રશ્નોનો ઉકેલ પરાક્રમથી થતો હોય છે. ‘મહાભારત’ પરાક્રમનો ગ્રંથ છે. તેમાં વણી લેવાયેલાં પાત્રો પરાક્રમી—મહાપરાક્રમી છે. પરાક્રમ ધર્મપૂર્વકનું અને અધર્મપૂર્વકનું પણ હોય છે.

રેટિંગ અને રિવ્યૂ

4.7
76 રિવ્યૂ
hitesh vayad hitesh vayad
2 ફેબ્રુઆરી, 2020
મહાભારત આખી ચોપડી મફત
6 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

લેખક વિશે

 સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

આ ઇ-પુસ્તકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

માહિતી વાંચવી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.